શુક્રવાર, 2 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 195

નરેશ : 'મારે પત્નીની આંખો ખૂબ મારકણી છે.'
પરેશ : 'મારી પત્નીની રસોઈ એવી છે ! બોલ, શું કરું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મિત્રોએ જેમને આજીવન બ્રહ્મચારી માની લીધા હતા તે મનસુખલાલે 58 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : 'મનસુખલાલ, તમારે લગ્ન કરવાં જ હતાં તો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો ?'
મનસુખલાલે જણાવ્યું : 'જો મારી પત્ની વઢકણી નીકળે તો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે. પણ એથી ઊલટું જો એ ડાહી નીકળે તો એને માટે આટલી બધી રાહ જોઈ, એ લેખે લાગે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની (ગુસ્સામાં)- 12 વાગ્યે ઘરે આવવાનો સમય છે? ક્યારની વાટ જોઈ રહી છું?'
પતિ- શું આ જાગતા રહેવાનો સમય છે? 4 કલાકથી બહાર તું ઉંઘી જાય તેની રાહ જોઈ રહ્યો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો